નશાબંધી અને આબકારી ખાતું |
http://www.prohibition-excise.gujarat.gov.in |
સ્થળ ફેરફાર |
7/1/2025 10:35:55 AM |
|
પરવાના / પરમિટ વિગેરે અસલ જે સ્થળ માટે કાઢી આપવામાં આવેલ હોય તે સ્થળ બદલીને બીજા કોઇ સ્થળનો સુધારો કરી આપવા અથવા વિદ્યમાન સ્થળમાં બીજો કોઇ વધારો કે ઘટાડો પરવાનામાં દાખલ કરી આપવા માટે સંબંધિત જિલ્લા કચેરીને અરજી કરવાની રહેશે. જે અરજી ઉપર રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની રહેશે.
-
નવા સ્થળ અંગેનો આધાર, અરજીની સાથે જ રજૂ કરવાનો રહેશે.
-
સંબંધિત જિલ્લા અધિકારી સૂચિત નવા સ્થળની મુલાકાત લઇ જરૂરી ચકાસણી કરી, જરૂર જણાય તેવી માહિતી માંગી શકશે.
-
જેના આધારે જરૂરી સ્થળ ફેરફારની મંજૂરી આપવામાં આવશે.
-
જો પરવાના વિગેરે કાઢી આપતા પહેલાં નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદની કે અન્ય કોઇ સત્તાધિકારીની ભલામણ કે મંજૂરી લેવામાં આવેલ હશે તો સ્થળ ફેરફારની મંજૂરી પહેલા જે તે સત્તાધિકારીની પુનઃ મંજૂરી જરૂરી બનશે.
-
ચોકકસ પરવાનાઓના કિસ્સામાં સંબંધિત સત્તાધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય સ્થળ ફેરફાર કરી શકાશે નહિ.
-
પરવાના વિગેરેમાં સ્થળ ફેરફાર માટે વર્ષ અથવા તેના ભાગ માટે ભરપાઇ કરવાપાત્ર ફી ના ૫૦ ટકા અથવા રૂ.પ૦ એ બે પૈકી જે વધુ હોય તેટલી ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૫૦ (છ) દંડ અને જપ્તી(ર) પરચૂરણના સદરે ભરપાઇ કરવાની રહેશે.
1
|
ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.
|
|
|