નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

ભાગીદારી ફેરફાર

4/27/2024 10:48:10 AM

પરવાનો, પરમિટ વિગેરે ભાગીદારી પેઢીના નામે કાઢી આપવામાં આવેલ હોય તે કિસ્સામાં તેના ધારક, જો પોતાની પેઢીના બંધારણમાં કોઇ ફેરફાર કરવા માંગતા હોય તો સંબંધિત જિલ્લા કચેરી ખાતે રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સહિત અરજી કરવાની રહેશે.

  • આવી અરજીની સાથે ભાગીદારી ફેરફારના જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  • સંબંધિત જિલ્લા અધિકારી, જરૂર જણાયેથી રૂબરૂ મુલાકાત લઇ, અન્ય માહિતી માંગી શકશે. જેના આધારે ભાગીદારી ફેરફારની મંજૂરી આપવામાં આવશે.

  • જો પરવાનો વિગેરે કાઢી આપતા પહેલાં નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદની કે અન્ય કોઇ સત્તાધિકારીની, ભલામણ કે મંજૂરી લેવામાં આવેલ હશે તો ભાગીદારી ફેરફારની મંજૂરી પહેલા જે તે સત્તાધિકારીની પુનઃ મંજૂરી જરૂરી બનશે.

  • ચોકકસ પરવાનાઓના કિસ્સામાં સંબંધિત સત્તાધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય ભાગીદારી ફેરફાર કરી શકાશે નહિ.

  • પરવાના વિગેરેમાં ભાગીદાર દાખલ કરવા માટે જે તે પરવાનાની વાર્ષિક ફી જેટલી તથા પરવાના વિગેરેમાંથી ભાગીદાર દૂર કરવા માટે પણ જે તે પરવાનાની વાર્ષિક ફી જેટલી ફી ભરવાની રહેશે. આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૫૦ (છ) દંડ અને જપ્તી (૨) પરચુરણના સદરે ભરપાઇ કરવાની રહેશે.

1

ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.