નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

ડિસ્ટિલરી પરવાનો

7/6/2025 4:14:30 PM

રેક્ટિફાઇડ સ્પિરિટ / એબ્સોલ્યુટ આલ્કોહોલનાં ઉત્પાદન અને વેચાણ માટેનો પરવાનો.

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

- રૂ. ૨૫ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી.

- લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ્‍સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.

- સંસ્થાની નોંધણીનો તથા જગાનો આધાર.

- સૂચિત પરવાના સ્થળનાં બાંધકામની ચાર નકલમાં એમોનિયા પ્રિન્ટ કે જેમાં બાંધકામના લે આઉટ તેમજ સેકશનલ ડ્રોઇંગ અલગથી દર્શાવવાના રહેશે. આવા બાંધકામમાં કાચા માલ તથા અંતિમ નીપજના સંગ્રહની વ્યવસ્થા સ્પષ્ટ રીતે દર્શાવવાની રહેશે. 

- ડીસ્ટલરીનાં બાંધકામ માટે જો કોઇ કોન્ટ્રાકટ આપેલ હોય તો તેની નકલ.

- ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ના- વાંધા પ્રમાણપત્ર.

- ઉદ્યોગ કમિશનરશ્રી, ગાંધીનગરનાં એપીપી (વાર્ષિક ઉત્પાદન કાર્યક્રમ) ની નકલ.

- રેક્ટિફાઇડ સ્પિરિટના ઉત્પાદનની વૈજ્ઞાનિક પધ્ધતિ, ફ્લોશીટ ડાયાગ્રામ, રાસાયણિક પ્રક્રિયા તથા કાચા માલ વપરાશની વિગતો.

- કેન્દ્ર સરકાર તરફથી કોઇ મંજૂરી મળેલ હોય તો તેના આધાર.

- બાંધકામ પૂર્ણ થયેથી મશિનરીની ક્ષમતા બાબતે ચાર્ટર્ડ એન્જિનીયરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

નોંધ - પરવાના હેઠળ થનાર ઉત્પાદન, વેચાણ તથા અન્ય તમામ કામગીરી નશાબંધી અને આબકારી ખાતાના અધિકારીઓની દેખરેખ હેઠળ કરવાની રહેતી હોઇને તેમના માટે રહેઠાણ તેમજ કચેરીની વ્યવસ્થા પરવાનાના સ્થળે કરવાની રહેશે.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-

- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરી, યોગ્ય જણાય તેવી માહિતી માંગી, થનાર બાંધકામની ચકાસણી કરવામાં આવશે.

- બાદ તેમની કક્ષાએથી અરજી નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદ મારફત સરકારશ્રી તરફ મોકલવામાં આવશે. જે કક્ષાએથી સૈધ્ધાંતિક મંજૂરી મળશે તો નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદ દ્વારા દરખાસ્ત કરેલ બાંધકામને કામચલાઉ મંજૂરી આપવામાં આવશે.

- કામચલાઉ મંજૂરી મુજબનું બાંધકામ પુરૂ થયેથી ફરીથી સક્ષમ અધિકારી દ્વારા સ્થળ મુલાકાત લઇ જરૂરી ખરાઇ કરવામાં આવશે. જે બાદ અરજી ફરીથી, નિયામક, નશાબંધી અને આબકારી, ગુજરાત રાજય, અમદાવાદને મોકલવામાં આવશે. જે કક્ષાએથી યોગ્ય જણાય તો થયેલ બાંધકામને આખરી મંજૂરી આપવાની સાથોસાથ પરવાનો કાઢી આપવામાં આવશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-

- પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી તથા ડીપોઝિટ ભરપાઇ કરવાની થશે.

વર્ષ અથવા તેના ભાગ માટે ફી

રૂ/.૧,૦૦,૦૦૦

ડીપોઝિટ

રૂ/. ૧,૦૦,૦૦૦

- આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૬ (ગ) વાણિજયક ડીનેચર્ડ સ્પિરિટ અને દવાઓમાં વપરાતા દારૂ (૨) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.

1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

- પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષનાં અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા પહેલા તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી મારફત નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદને અરજી કરવાની રહેશે.

- પરવાના હેઠળ રેક્ટિફાઇડ સ્પિરિટ / એબ્સોલ્યુટ આલ્કોહોલનું ઉત્પાદન, હેરફેર, વેચાણ તથા પરવાનાને લગત અન્ય તમામ કામગીરી આબકારી ખાતાના સ્ટાફની દેખરેખ નીચે જ કરવાની રહેશે. જે માટે નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદ વખતો-વખત ઠરાવે તેવી રકમ, દરેક ત્રિમાસિક ગાળા માટે અગાઉથી વસૂલ કરવામાં આવશે.

- રેક્ટિફાઇડ સ્પિરિટ / એબ્સોલ્યુટ આલ્કોહોલનાં વેચાણ ઉપર પ્રવર્તમાન દરે આબકારી જકાત તથા અન્ય ફી ભરપાઇ કરવાની રહેશે.

આબકારી જકાત પ્રતિ પ્રૂફ લિટર

રૂ. ૧૦૦

ટ્રાન્સપોર્ટ ફી પ્રતિ પ્રૂફ લિટર

રૂ. ૨

સ્પેશિયલ ફી પ્રતિ બલ્ક લિટર

રૂ.૫

- પરવાના સિવાય રેક્ટિફાઇડ સ્પિરિટ / એબ્સોલ્યુટ આલ્કોહોલનું ઉત્પાદન કે વેચાણ કરવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૫ હેઠળ પ્રથમ ગુના માટે છ માસની કેદ અને રૂ/.૫૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે.

1 આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.