નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

બી.ડબલ્યુ.આઇ. એ ૧ પરવાનો

7/5/2025 1:08:48 PM

ઔદ્યોગિક આલ્કોહોલનો બોન્ડમાં સંગ્રહ કરવા તથા દરિયાપાર વિદેશમાં તેની નિકાસ કરવા માટેનો પરવાનો.

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

- રૂ/.૨૫ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમુનાનું અરજી ફોર્મ.

- લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.

- સંસ્થાની આયાતકાર - નિકાસકાર તરીકે નોંધણીનો આધાર.

- સંબંધિત પોર્ટ અધિકારીની જરૂરી મંજૂરી.

નોંધ - પરવાના હેઠળ ઔદ્યોગિક આલ્કોહોલનો સંગ્રહ, નિકાસનાં હેતુસર વેચાણ તથા અન્ય તમામ કામગીરી નશાબંધી અને આબકારી ખાતાના અધિકારીઓની દેખરેખ હેઠળ કરવાની રહેતી હોઇને તેમના માટે રહેઠાણ તેમજ કચેરીની વ્યવસ્થા પરવાના સ્થળે કરવાની રહેશે.

અરજી ઉપરની કાર્યવાહીની ટુંક વિગતો :-

- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.

- બાદ તેમની કક્ષાએથી અરજી, નિયામક, નશાબંધી અને આબકારી ખાતું ગુજરાત રાજય, અમદાવાદને મોકલવામાં આવશે. જેમની કક્ષાએથી અરજીનો યોગ્‍ય નિકાલ કરવામાં આવશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-

- પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષનાં અંત (તા. ૩૧મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી મારફત નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદને અરજી કરવાની રહેશે.

- પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચે જણાવ્યા પ્રમાણેની ફી તથા ડીપોઝિટ ભરપાઇ કરવાની રહે છે.   

નિકાસ કરવાના ઔદ્યોગિક આલ્કોહોલનો જથ્થો

વર્ષ અથવા તેના ભાગ માટે ફી રૂ.માં

ડીપોઝિટ રૂ.માં

૧,૦૦,૦૦૦ લીટર સુધી

૫૦,૦૦૦

૨૫,૦૦૦

૧,૦૦,૦૦૦ લીટરથી વધુ

૧,૦૦,૦૦૦

૨૫,૦૦૦

- આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૬ (ગ) વાણિજયક ડીનેચર્ડ સ્પિરિટ અને દવાઓમાં વપરાતા દારૂ (૨) ફીનાં સદરે ભરપાઇ કરવાની રહેશે.

1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

- પરવાના હેઠળ ઔદ્યોગિક આલ્કોહોલના બોન્ડમાં સંગ્રહ, તેની નિકાસ અને હેરફેર સહિતની  પરવાનાને લગત તમામ કામગીરી નશાબંધી અને આબકારી ખાતાના સ્ટાફની દેખરેખ નીચે જ કરવાની રહેશે. જે માટે નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદ વખતો-વખત ઠરાવે તેવી રકમ, દરેક ત્રિમાસિક ગાળા માટે અગાઉથી વસૂલ કરવામાં આવશે.

- પરવાના સિવાય ઔદ્યોગિક આલ્કોહોલનો સંગ્રહ કે નિકાસનાં હેતુસર વેચાણ કરવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૫ હેઠળ પ્રથમ ગુના માટે છ માસની કેદ અને રૂ/.૫૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે.

1 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.