સ્પિરિચ્યુઅસ આર્ટિકલ્સની આયાત કરવા માટેનો પરવાનો
-
અરજદારનું નામ અને સરનામું ;
-
અરજદાર સ્પિરિચ્યુઅસ આર્ટિકલ્સ અને તેને સરખી ચીજવસ્તુઓના વેપારી છે કે કેમ અને હોય તો, આવા વેપારી તરીકે કેટલા સમયથી તે વ્યવસાય ચલાવે છે અને પાછલા ત્રણ વર્ષ દરમિયાન તેમણે આવી ચીજવસ્તુઓની આયાત કરેલ છે કે કેમ ?
-
અરજદાર -
(૧) ઔષધ અને સૌંદર્યપ્રસાધન અધિનિયમ, ૧૯૪૦
(૨) મુંબઇ ઔષધ (નિયંત્રણ) અધિનિયમ, ૧૯૫૯ હેઠળ વેચાણ માટેનો કોઇ પરવાનો ધરાવે છે કે કેમ ?
(૧) આલ્કોહોલયુકત ઔષધીય બનાવટો ;
(૨) આલ્કોહોલયુકત સૌંદર્યપ્રસાધન બનાવટો ;
(૩) આલ્કોહોલયુકત એન્ટીસેપ્ટીક બનાવટો કે દ્રાવણ ;
(૪) આલ્કોહોલયુકત સુગંધીદાર અર્ક, એસેન્સ અથવા સીરપ.
-
જે હેતુઓ માટે સ્પિરિચ્યુઅસ આર્ટિકલ્સ આયાત કરવા ધારેલ હોય તે હેતુઓ ;
-
મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯, મુંબઇ ઔષધ (નિયંત્રણ) અધિનિયમ, ૧૯૫૯, સ્પિરિટવાળી બનાવટો (આંતરરાજય વેપાર અને વાણિજય) નિયંત્રણ અધિનિયમ, ૧૯૫૫, હાનિકારક ઔષધ અધિનિયમ, ૧૯૩૦, ઔષધ અને સૌંદર્યપ્રસાધન અધિનિયમ, ૧૯૪૦ અથવા લીકર, કેફી ઔષધો કે અફીણને લગતા બીજા કોઇપણ કાયદાની કોઇપણ જોગવાઇ હેઠળ શિક્ષાપાત્ર કોઇપણ ગુના માટે પોતે કોઇપણ અદાલતમાં કોઇપણ સમયે દોષિત ઠરેલ છે કે કેમ અને આવા ગુનાના સંબંધમાં કાયદાની કોઇપણ અદાલતમાં કોઇપણ ફોજદારી કાર્યવાહી તેની સામે અનિર્ણીત છે કે કેમ અને ઉપર જણાવેલા અધિનિયમો પૈકી કોઇપણ હેઠળ પોતે ધરાવેલ કોઇ પરવાનો રદ કરવામાં કે મૌકૂફ રાખવામાં આવેલ હતો કે કેમ તે બાબતે અરજદારનું લેખિત જાહેરનામું ;
-
અધિનયિમની જોગવાઇઓ અને તે હેઠળ કરેલા નિયમો, વિનિયમો અને આદેશો તથા જેના માટે અરજી કરેલ છે તે પરવાનાની શરતોનું પોતે પાલન કરશે તે મતલબની અરજદારની લેખિત બાંહેધરી.