નશાબંધી અને આબકારી ખાતું |
http://www.prohibition-excise.gujarat.gov.in |
નશાબંધી સંસ્કાર કેન્દ્ર માટેની અરજીનો નમૂનો |
4/20/2024 5:07:01 PM |
|
૧. |
સંસ્થાનું નામ અને સરનામું |
૨. |
સંસ્થા રજિસ્ટર થયેલ છે કે કેમ? થયેલ હોય તો રજિસ્ટ્રેશન નંબર |
૩. |
સંસ્થાની નાણાકીય સ્થિતિ અને કેન્દ્ર સંતોષકારક રીતે સંભાળી શકે તેમ છે કે કેમ ? |
૪. |
સંસ્થાની હાલની પ્રવૃત્તિ |
૫. |
સંસ્કાર કેન્દ્રના ક્ષેત્ર વિસ્તારની જ્ગ્યા કેટલી છે? અને તેનો મુખ્ય વ્યવસાય શું છે ? |
૬. |
તે વિસ્તારમાં સંસ્કાર કેન્દ્ર શરૂ થવું જરૂરી છે કે કેમ? અને હોય તો કેન્દ્ર શરૂ કરવાથી નશાબંધી પરિસ્થિતિમાં સુધારો થશે કે કેમ ? |
૭. |
સંસ્કાર કેન્દ્રની સફળ કામગીરી માટે મળી શકનાર જાહેર સહકારનું પ્રમાણ તથા કેન્દ્રની પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર સામાજિક કાર્યકરોના નામ. |
૮. |
સંસ્કાર કેન્દ્ર માટે જરૂરી મકાન મળી શકશે કે કેમ? તેમજ રમતો માટેનું મેદાન મળી શકે કે કેમ? |
૯. |
સંસ્કાર કેન્દ્ર શરૂ કરતાં, કરવા ધારેલી પ્રવૃત્તિ. |
૧૦. |
સરકારી સહાય માટે ચૂંટાયેલ સંસ્થા નીચેની શરતો પાળવા કબૂલ છે કે કેમ? જો હોય તો તે પોતાની કબૂલાત લેખિતરૂપે આપવા તૈયાર છે કે કેમ? |
શરતો
૧. |
સંસ્થાને આપવામાં આવેલ સહાયનો ફક્ત નશાબંધી પ્રચાર પ્રવૃત્તિઓ અને મનોરંજન માટે ખર્ચ કરવાનો રહેશે. |
૨. |
સહાય ચૂકવણીની તારીખથી એક માસની અંદર સંસ્કાર કેન્દ્ર શરૂ કરવાનું રહેશે. |
૩. |
જો સંસ્કાર કેન્દ્ર બંધ પડે અથવા આવર્તક સરકારી સહાય શરૂ કર્યા તારીખથી એક વર્ષની અંદર કામ કરતું બંધ થાય તો, સંસ્થાએ પોતાને અપાયેલ આવર્તક સહાયમાંથી બંધ રહેલ મહિનાઓ માટે રૂ.૨૫૦/- પૂરાના દરે સહાયની રકમ સરકારશ્રીને પરત કરવાની રહેશે. અનાવર્તક સહાયના વિકલ્પે સિલ્કી સામાનની ચીજ-વસ્તુઓ, ફર્નિચર, રમત-ગમતના સાધનો વિગેરે સરકારશ્રીને સુપ્રત કરવાના રહેશે. |
૪. |
સંસ્કાર કેન્દ્ર માટે જોઇતી સાધનસામગ્રી (ડેડસ્ટોક આર્ટિકલ) ખરીદવા પાંચ વર્ષના ગાળા માટે ખરેખર ખર્ચના ૭૫% અથવા રૂ. ૧૫૦૦/- એ બેમાંથી જે ઓછું હોય તે રકમ, મંજૂર કરવામાં આવેલ અનાવર્તક સહાય સંસ્કાર કેન્દ્ર માટેની સાધનસામગ્રીની (સિલ્કી સામાન વિગેરેની) ખરીદી માટે વાપરવાની રહેશે. આ શરતોને અધીન રહીને અનાવર્તક સહાય મંજૂર કરવામાં આવશે. જો સંસ્થા દર્શાવેલ રકમ કરતાં ઓછી રકમ, પોતાના ભંડોળમાંથી ખર્ચશે તો, સરકારશ્રીની લેણી થતી રકમ વસૂલ કરવામાં આવશે. |
૫. |
નશાબંધી સંસ્કાર કેન્દ્રના સંચાલન બાબતમાં, નશાબંધી અને આબકારી નિયામક કચેરી અગર નશાબંધી અને આબકારી જિલ્લા અધીક્ષક મારફતે વખતો-વખત જે સૂચનાઓ આપવામાં અગર તો નીતિ-નિયમો બનાવવામાં આવે તેનું સંસ્થાએ પાલન કરવાનું રહેશે. |
૬. |
સંસ્કાર કેન્દ્રમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ યોજવામાં આવે તેનો માસિક અહેવાલ, જે તે જિલ્લાના નશાબંધી અને આબકારી અધીક્ષકને મોકલવાનો રહેશે. |
|
|