નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

ડી. એસ. ૫ પરવાનો

4/26/2024 1:59:23 PM
 

વિકૃત કરેલ સ્પિરિટના કળાઉદ્યોગ અને વ્યવસાયના હેતુસર વપરાશનો પરવાનો.

અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-

  • રૂ/. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.
  • લિમિટેડ કંપનીના કિસ્સામાં આર્ટિકલ્‍સ ઓફ એસોસિએશનની નકલ અને ભાગીદારી પેઢીના કિસ્સામાં ભાગીદારી દસ્તાવેજની નકલ.
  • સંસ્થાની નોંધણીનો આધાર.
  • સક્ષમ સત્તાધિકારીનું ફાયર-પ્રૂફ સર્ટિફિકેટ અથવા એકસપ્લોઝિવ પરવાનાની નકલ.
  • માસિક ૧૦ અથવા તેથી વધુ લિટર વપરાશ કરવા માટે અરજી હોય ત્યારે ઉદ્યોગ કમિશનરશ્રી, ગાંધીનગર દ્વારા મંજૂર કરાયેલા વાર્ષિક ઉત્પાદન કાર્યક્રમ (એપીપી) ની નકલ. 
    પરંતુ ખાસ વિકૃત કરેલ સ્પિરિટનો વપરાશ કરવા ધારેલ હોય તો કોઈપણ જથ્થા માટે એપીપી રજૂ કરવાનો રહેશે.
  • રાસાયણિક સમીકરણો સહિત ઉત્પાદન પ્રક્રિયા તથા ફલો શીટ ડાયાગ્રામ, બેચ સાઇઝ તથા રીકવરી થતી હોય તે સંજોગોમાં તેને લગત વિગતો પણ અલગથી દર્શાવવી.
  • ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ના વાંધા પ્રમાણપત્ર.
  • જિલ્લા સત્તાધિકારી દ્વારા માંગણી કરવામાં આવે તે કિસ્સામાં ચાર્ટર્ડ ઇજનેરનું પ્રમાણપત્ર.

અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-

  • જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.
  • જેના આધારે સામાન્ય વિકૃત કરેલ સ્પિરિટના વપરાશ માટેની અરજીના કિસ્સામાં જિલ્લા કક્ષાએથી અરજીનો નિકાલ કરવામાં આવશે.  
    ખાસ નોંધ:- સામાન્ય વિકૃત કરેલ સ્પિરિટનો ઉપયોગ કરી, ફ્રેંચ પોલિશનું ઉત્પાદન કરવા ધારેલ હોય તે કિસ્સામાં અરજી જિલ્લા નશાબંધી સમિતિના અભિપ્રાય અર્થે મુકવામાં આવશે. આ સમિતિ સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને પોતાની બેઠક બોલાવશે.
  • જ્યારે ખાસ વિકૃત કરેલ સ્પિરિટના કિસ્સામાં જિલ્લા કક્ષાએથી અરજી નિયામક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદ તરફ મોકલવામાં આવશે. જેમના તરફથી સૂચના મળ્યેથી જિલ્લા કચેરી દ્વારા અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો.

  • પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષનાં અંત (તા.૩૧મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ બાદ તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે. 
    વિશેષ નોંધ:- જરી ગીલ્ડિંગ સોલ્યુશનના ઉત્પાદન અર્થે સામાન્ય વિકૃત કરેલ સ્પિરિટના માસિક ૧૦૦૦ લિ. સુધીના વપરાશના પરવાનાની મુદત મહત્તમ ત્રણ વર્ષ અને છેલ્લા વર્ષ માટે નાણાકીય વર્ષના અંત સુધીની રહેશે.
  • પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચે જણાવેલ દરે ફી તથા માસિક રપ લિટર સુધી વપરાશ મર્યાદાના કિસ્‍સામાં રૂ/.૧૦૦ની અને અન્‍ય તમામ કિસ્‍સાઓમાં રૂ/. ૧,૦૦૦/- ની ડીપોઝિટ ભરપાઇ કરવાની રહેશે.

(ક) વાર્નિશપોલિશકલર્સ અને ડાઇઝના ઉત્પાદન માટે સામાન્‍ય વિકૃત કરેલ સ્પિરિટનો પ્રતિ માસ મંજૂર કરાયેલ જથ્થો.

વર્ષ અથવા તેના ભાગ માટે ફી રૂ/. માં

૨ કવાર્ટ બોટલથી વધુ નહીં

૧૦૦

૫૦૦ લિટરથી વધુ નહીં

૧,૦૦૦

૨,૫૦૦ લિટરથી વધુ નહીં

૫,૦૦૦

૧૦,૦૦૦ લિટરથી વધુ નહીં

૧૫,૦૦૦

૧૦,૦૦૦ લિટરથી વધુ.

૩૫,૦૦૦

(ખ) વાર્નિશ, પોલિશ, કલર્સ અને ડાઇઝ સિવાયની બનાવટના ઉત્પાદન માટે કે કોઇ કળા કે વ્યવસાય માટે સામાન્‍ય વિકૃત કરેલ સ્પિરિટનો પ્રતિ માસ મંજૂર કરાયેલ જથ્થો.

વર્ષ અથવા તેના ભાગ માટે ફી રૂ/. માં

૨ કવાર્ટ બોટલથી વધુ નહીં

૧૦૦

૨૫૦ લિટરથી વધુ નહીં

૧,૦૦૦

૨૫૦૦ લિટરથી વધુ નહીં

૧,૫૦૦

૨૦૦૦૦ લિટરથી વધુ નહીં

૧૫,૦૦૦

૧,૦૦,૦૦૦ લિટરથી વધુ નહીં

૩૫,૦૦૦

૫,૦૦,૦૦૦ લિટરથી વધુ નહીં

૨,૦૦,૦૦૦

૫,૦૦,૦૦૦ લિટરથી વધુ.

૫,૦૦,૦૦૦

ઉપર (ક) અને (ખ) બંનેમાં નિર્દિષ્ટ કરેલ હેતુ હોય તે સંજોગોમાં

બંને કિસ્સામાં દર્શાવેલ ફી પૈકી વધુ હોય તેટલી.

ખાસ સંસ્થાઓના કિસ્સાઓમાં

૫૦૦

ખાસ વિકૃત કરેલ સ્પિરિટનો પ્રતિ માસ મંજૂર કરાયેલ જથ્થો.

વર્ષ અથવા તેના ભાગ માટે ફી રૂ/. માં

૨૫૦ લિટરથી વધુ નહીં

૧,૦૦૦

૨,૫૦૦ લિટરથી વધુ નહીં

૧,૫૦૦

૨૦,૦૦૦ લિટરથી વધુ નહીં

૧૫,૦૦૦

૧,૦૦,૦૦૦ લિટરથી વધુ નહીં

૩૫,૦૦૦

૫,૦૦,૦૦૦ લિટરથી વધુ નહીં

૨,૦૦,૦૦૦

૫,૦૦,૦૦૦ લિટરથી વધુ.

૫,૦૦,૦૦૦

     
 
  • આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૬ (ગ)  વાણિજયક ડીનેચર્ડ સ્પિરિટ અને દવાઓમાં વપરાતા દારૂ (૨) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.

ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.

  • પરવાનાધારક ૨ (બે) બોટલ સુધીનો જથ્થો રાજયના ડી. એસ. ૭ પરવાનેદારોપાસેથી અને તેથી વધુ જથ્‍થો જરૂરી હેરફેર પાસ હેઠળ, રાજયના ડી. એસ. ૬ પરવાનેદારો પાસેથી અથવા રાજયના ડી.એસ.૧ પરવાનેદારો પાસેથી ખરીદ કરી શકશે કે પરપ્રાંતમાંથી આયાત પાસ હેઠળ આવો જથ્‍થો આયાત પણ કરી શકશે.
  • પરવાના સિવાય વિકૃત કરેલા સ્પિરિટ (ડીનેચર્ડ સ્પિરિટ) નો સંગ્રહ કે વપરાશ કરવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૬ હેઠળ પ્રથમ ગુના માટે  છ માસની કેદ અને રૂ/.૧૦૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે. 

1 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્‍લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.