|
-
કોઇપણ કારણોસર કોઇ પરવાનેદાર પોતાને કાઢી આપવામાં આવેલ પરવાના, પરમિટ, અધિકૃતિપત્ર અમલમાં રાખવા ન ઇચ્છતા હોય તે સંજોગોમાં રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડી તે માટે જે તે જિલ્લા કચેરી ખાતે અરજી કરી શકશે.
-
આવી અરજી સાથે અસલ પરવાનો વિગેરે બિડવાના રહેશે.
-
જો સંબંધિત પરવાના, પરમિટ હેઠળ તેના ધારકે હિસાબી રજિસ્ટર કે વિઝિટ બુક રાખવાનું કાયદા દ્વારા નિર્ધારીત થયેલ હોય તે સંજોગોમાં આવા રજિસ્ટર કે વિઝિટ બુક પણ સાથે જ જોડવાના રહેશે.
-
આ પ્રમાણે ખાતા પાસે પરત જમા કરાવવામાં આવતા પરવાના વિગેરે હેઠળ જેના માટે પરવાનો કાઢી આપવામાં આવેલ છે, તેવા કોઇ દ્રવ્યનો જથ્થો પડી રહેલ હોય તો તેના માટે નિયમાનુસાર બી પઝેશન પરમિટ મેળવવાની રહેશે.
-
આ પ્રમાણે પરવાના વિગેરે પરત જમા કરાવવા માટે કોઇ સુધારા ફી ભરપાઇ કરવાની રહેતી નથી.
|
|
|