સેક્રામેન્ટલ વાઇન (ધાર્મિક વિધિના હેતુઓ માટેના દારૂ) ના ઉત્પાદન માટેનો પરવાનો.
અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-
- રૂ. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.
- કોઇ ધર્મ કે ધાર્મિક સંપ્રદાયના વિભાગીય વડા હોવાના જરૂરી આધારો.
અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-
- જિલ્લા નશાબંધી સત્તાધિકારીઓ દ્વારા સૂચિત પરવાના સ્થળની મુલાકાત લઇ જરૂરી તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાય તેવી માહિતી પણ માંગવામાં આવશે.
- બાદ તેમની કક્ષાએથી અરજી કમિશનર અને અધિક પોલીસ મહાનિર્દેશક, નશાબંધી અને આબકારી ખાતું, ગુજરાત રાજય, અમદાવાદ મારફત સરકારશ્રીને મોકલવામાં આવશે. જે કક્ષાએથી મળેલ સૂચના તથા કમિશનર અને અધિક તથા પોલીસ મહાનિર્દેશક તરફથી મળેલ મંજૂરીના આધારે અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.
પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો :-
- પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.
વર્ષ અથવા તેના ભાગ માટે ફી
|
રૂ. ૫૦૦
|
- આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૫૦ (છ) દંડ અને જપ્તી (૨) પરચૂરણનાં સદરે ભરપાઇ કરવાની રહેશે.
ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.
|
- પરવાનાની મુદત પરવાના વર્ષ એટલે કે કોઇપણ નાણાકીય વર્ષનાં અંત (તા.૩૧ મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા પહેલા તેને ફરી તાજો કરાવવા, સમયસર સંબંધિત જિલ્લા કચેરી ખાતે અરજી કરવાની રહેશે.
- પરવાના હેઠળ સેક્રામેન્ટલ વાઇનના ઉત્પાદનને લગત તમામ કામગીરી નશાબંધી અને આબકારી ખાતાના સ્ટાફની દેખરેખ નીચે જ કરવાની રહેશે.
- પરવાના સિવાય સેક્રામેન્ટલ વાઇનનું ઉત્પાદન કે વેચાણ કરવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૫ હેઠળ પ્રથમ ગુના માટે છ માસની કેદ અને રૂ.૫૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે.
પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.
|