|
|
વિકૃત કરેલ સ્પિરિટના વૈદકીય હેતુસર વપરાશ માટેનો પરવાનો.
નોંધ - આ પરવાનો માત્ર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકિટશનરને જ મળી શકે છે.
અરજદારે જિલ્લા કચેરી ખાતે રજૂ કરવાના આધારો :-
- રૂ. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે નિયત નમૂનાનું અરજી ફોર્મ.
- દવાખાના / કિલનિક / હોસ્પિટલની જગાનો પુરાવો.
- અરજદારના પદવી પ્રમાણપત્ર અને રજિસ્ટ્રેશન અને / અથવા (જરૂરી હોય તે કિસ્સામાં) રિન્યુઅલ સ્લિપની નકલ.
નોંધ - આ પરવાના હેઠળ માસિક વધુમાં વધુ ત્રણ ક્વાર્ટ બોટલના વપરાશની પરવાનગી હાલ આપી શકાય છે.
અરજી ઉપરની કાર્યવાહીની ટૂંક વિગતો :-
- રજૂ કરેલ માહિતીની ચકાસણી કરી, જરૂર જણાયેથી બીજી વિગતો માંગવામાં આવશે.
- જેના આધારે અરજીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.
પરવાનો મંજૂર થયેથી અનુસરવાની મુખ્ય બાબતો.
- પરવાનો મંજૂર થયેથી તેના માટે હાલ નીચેના દરે ફી ભરપાઇ કરવાની થશે.
વર્ષ અથવા તેના ભાગ માટે ફી
|
રૂ. ૫૦૦
|
આ ફી મુખ્ય સદર ૦૦૩૯ રાજય આબકારી ગૌણ સદર અને પેટા સદર, ૧૦૬ (ગ) વાણિજયક ડીનેચર્ડ સ્પિરિટ અને દવાઓમાં વપરાતા દારૂ (૨) ફી ના સદરે ભરપાઇ કરવાની રહેશે.
1 ચલણનું ફોર્મ અચૂકપણે એક જ પાના ઉપર આગળ-પાછળ અને કુલ ચાર નકલોમાં પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવા વિનંતી છે.
|
- પરવાનાધારક રાજયના ડી. એસ. ૭ પરવાનેદારો પાસેથી આ પરવાના ઉપરનો જથ્થો ખરીદ કરી શકશે.
- પરવાનાની મુદત મહત્તમ પાંચ વર્ષ માટે અને છેલ્લા વર્ષ માટે નાણાકીય વર્ષના અંત (તા.૩૧મી માર્ચ) સુધીની રહેશે. જે મુદત પુરી થતા અગાઉ તેને ફરી તાજો કરાવવા, સમયસર જિલ્લા કચેરી કે લાગુ પડતા ક્ષેત્રિય નિરીક્ષકની કચેરી ખાતે અરજી કરવાની રહેશે.
- પરવાના સિવાય વિકૃત કરેલા સ્પિરિટ (ડીનેચર્ડ સ્પિરિટ) નો સંગ્રહ કે વપરાશ કરવાથી મુંબઇ નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૬૬ હેઠળ પ્રથમ ગુના માટે છ માસની કેદ અને રૂ.૧૦૦૦ ના દંડની સજા થઇ શકે છે. બીજા, ત્રીજા વિગેરે ગુનામાં ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઇ છે.
1 પરવાનેદારોની યાદી સહિત આ પરવાના અંગે વિશેષ માહિતી જિલ્લા કચેરીનો સંપર્ક કરવાથી મળી શકશે.
|
|
|
|